Vishal Joshi Balaji: Sunderkand in Gujarati :
અધ્યાય ૧
ચોપાઈ
જામવંત કે બચન સુહાએ, સુનિ હનુમંત હૃદય અતિ ભાએ.
તબ લગિ મોહિ પરિખેહુ તુમ્હ ભાઈ, સહિ દુખ કંદ મૂલ ફલ ખાઈ.
જબ લગિ આવૌં સીતહિ દેખી, હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી,
યહ કહિ નાઇ સબન્હિ કહુમાથા, ચલેઉ હરષિ હિયધરિ રઘુનાથા.
જાંબુવાન ના સુંદર વચનો સાંભળી હનુમાનજી હૃદય માં ઘણાજ પ્રસન્ન થયા ,અને બોલ્યા
હે ભાઈ ! તમે દુઃખો સહી કંદ,મૂળ તથા ફળ ખાઈને જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો આવું
ત્યાં સુધી મારી રાહ જોજો; કામ અવશ્ય થશે; કેમકે મને ઘણો હર્ષ છે.
એમ કહી સર્વને મસ્તક નમાવી,રઘુનાથજી ને હૃદયમાં ધરી હનુમાનજી હર્ષિત થઇ ચાલ્યા.
********
સિંધુ તીર એક ભૂધર સુંદર, કૌતુક કૂદિ ચઢ઼ેઉ તા ઊપર.
બાર બાર રઘુબીર સારી, તરકેઉ પવનતનય બલ ભારી.
સમુદ્રના તીર પર એક સુંદર પર્વત હતો.હનુમાનજી રમત માત્ર માં તેના ઉપર ચડ્યા,
તેમજ વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરી અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી ઘણા વેગ થી ઉછળ્યા.
********
જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા, ચલેઉ સો ગા પાતાલ તુરંતા.
જિમિ અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાતિ ચલેઉ હનુમાના.
જલનિધિ રઘુપતિ દૂત બિચારી, તૈં મૈનાક હોહિ શ્રમહારી.
જેવા પર્વત પર હનુમાનજી પગ દઈ ઉછાળ્યા,તે (પર્વત)તરતજ પાતાળમાં પેસીગયો.
જેમ રઘુનાથજી નું અમોધ બાણ જાય,તે પ્રકારે હનુમાનજી ચાલ્યા.
સમુદ્રે તેમને શ્રી રઘુનાથજી ના દૂત જાણી મૈનાક પર્વત ને કહ્યું કે -
હે મૈનાક! તું તેમના થાકને દુર કરનારો થા (અર્થાત પોતાના પર તેમને વિસામો આપ).
********
સોરઠા
સિંધુ બચન સુની કાન ,તુરત ઉઠેઉ મૈનાક તબ.
કપીકહ્ કીન્હ પ્રણામ,પુલકિત તનું કર જોરિ કરિ.
સમુદ્ર નાં વચન સાંભળી તે સમયે મૈનાક પર્વત તરત ઉઠ્યો અને શરીરે રોમાંચિત થઇ હાથ જોડી તેણે હનુમાન ને પ્રણામ કર્યા.
********
દોહા
હનૂમાન તેહિ પરસા કર પુનિ કીન્હ પ્રનામ.
રામ કાજુ કીન્હેં બિનુ મોહિ કહા બિશ્રામ .(૧)
હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો અને પ્રણામ કરી કહ્યું;
હે ભાઈ ! ��
Vishal Joshi Balaji: Sunderkand in Gujarati :
અધ્યાય ૨
કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુદિસિ રચ્છહીં,
કહુમહિષ માનષુ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં.
એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી,
રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી(૩)
ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધાઓ યત્નપૂર્વક ઘણી જ સાવધાનીથી નગરની ચારે દિશાઓમાં રક્ષા કરતા હતા. ક્યાંક દુષ્ટ રાક્ષસો પાડાઓને,મનુષ્યોને,ગાયોને,ગધેડાંઓને તથા બકરાંને ખાતા હતા.
તુલસીદાસજી કહે છે કે તેઓ અવશ્ય રઘુવીર શ્રી રામચંદ્રજીના બાણ રૂપી તીર્થમાં શરીરો છોડી પરમ ગતિ પામશે,માટે તેમની કથા કંઈક થોડી કહી છે??(૩)
*********
દોહા.
પુર રખવારે દેખિ બહુ કપિ મન કીન્હ બિચાર,
અતિ લઘુ રૂપ ધરૌં નિસિ નગર કરૌં પઇસાર.(૩)
નગરના ઘણા રક્ષકોને જોઈ હનુમાનજી એ મનમાં વિચાર કર્યો કે ,
અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રે નગરમાં પ્રવેશ કરું.(૩)
*********
ચોપાઈ
મસક સમાન રૂપ કપિ ધરી। લંકહિ ચલેઉ સુમિરિ નરહરી.
નામ લંકિની એક નિસિચરી। સો કહ ચલેસિ મોહિ નિંદરી.
હનુમાનજી મચ્છર જેવડું રૂપ ધરી ,મનુષ્યરૂપ રામચંદ્રજીનું સ્મરણ કરીને લંકા તરફ ચાલ્યા.
(લંકાના દ્વાર પર) લંકિની નામની એક રાક્ષસી હતી,
તે બોલી મારો અનાદર કરી (મને પૂછ્યા વિના) ક્યાં ચાલ્યો જાય છે?
જાનેહિ નહીં મરમુ સઠ મોરા, મોર અહાર જહાલગિ ચોરા.
મુઠિકા એક મહા કપિ હની, રુધિર બમત ધરનીં ઢનમની.
રે શઠ ! તું મારો ભેદ (ખરું રહસ્ય) નથી જાણતો, જેટલા ચોર છે તેઓ બધા મારો ખોરાક છે.
મહા કપિ હનુમાનજીએ તેને એક મુક્કો માર્યો. જેથી તે લોહી આંકતી ધરણી પર ઢળી પડી.
પુનિ સંભારિ ઉઠિ સો લંકા, જોરિ પાનિ કર બિનય સંસકા.
જબ રાવનહિ બ્રહ્મ બર દીન્હા, ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા.
ફરી તે લંકિની સંભાળીને ઊઠી અને શંકા યુક્ત થઇ,(ભય પામી)હાથ જોડી વિનંતી કરવા લાગી:
રાવણને જયારે બ્રહ્મા એ વરદાન આપ્યું હતું,
ત્યારે જતી વેળા તેમણે મને રાક્ષસોના વિનાશનું આ ચિન્હ કહ્યું હતું કે,-
બિકલ હોસિ તૈં કપિ કેં
Vishal Joshi Balaji: Sunderkand in Gujarati :
અધ્યાય ૩
મંદિર મંદિર પ્રતિ કરિ સોધા, દેખે જહતહઅગનિત જોધા.
ગયઉ દસાનન મંદિર માહીં, અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં.
તેમણે ઘેર ઘેર તપાસ કરી,જ્યાં ત્યાં અગણિત યોદ્ધા જોયા,
પછી તે રાવણ ના મહેલમાં ગયા તે અદભુત હતો,જે વર્ણવી શકાતો નથી.
સયન કિએ દેખા કપિ તેહી, મંદિર મહુન દીખિ બૈદેહી.
ભવન એક પુનિ દીખ સુહાવા, હરિ મંદિર તહભિન્ન બનાવા.
રામ નામ અંકિત ગૃહ સોહા,બરની ન જાઈ દેખી મન મોહ.
હનુમાનજીએ તેને (રાવણ)સુતેલો જોયો,પરંતુ મહેલમાં સીતાજીને જોયાં નહિ.
પછી એક સુંદર મહેલ જોયો,ત્યાં ભગવાન નું એક અલગ મંદિર બનેલું હતું.તેના પર શ્રી રામચંદ્રજી નું નામ લખ્યું હતું.એ ઘરની શોભા વર્ણવી શકાતી નથી,તેને જોઈ મન મોહ પામતું હતું.
*********
(દોહા)
રામાયુધ અંકિત ગૃહ સોભા બરનિ ન જાઇ.
નવ તુલસિકા બૃંદ તહદેખિ હરષિ કપિરાઇ.(૫)
તે ઘર શ્રી રામચંદ્રજીના આયુધ (ધનુષ્યબાણ)ની નિશાની વાળું હતું,તેની શોભા વર્ણવી જતી નથી.
ત્યાં નવીન તુલસીના વૃક્ષ સમુહો જોઈ કપિરાજ શ્રી હનુમાનજી હર્ષિત થયા. (૫)
*********
ચોપાઈ
લંકા નિસિચર નિકર નિવાસા, ઇહાકહાસજ્જન કર બાસા.
મન મહુતરક કરૈ કપિ લાગા, તેહીં સમય બિભીષનુ જાગા.
લંકા તો રાક્ષસોના સમુહનું નિવાસસ્થાન છે,ત્યાં સજ્જન (ભક્ત)નો નિવાસ ક્યાંથી?
હનુમાનજી એવો તર્ક કરવા લાગ્યા,તે સમયે વિભીષણ જાગ્યા.
રામ રામ તેહિં સુમિરન કીન્હા, હૃદયહરષ કપિ સજ્જન ચીન્હા.
એહિ સન હઠિ કરિહઉપહિચાની, સાધુ તે હોઇ ન કારજ હાની.
તેમણે(વિભીષણે) રામ રામ નું સ્મરણ (ઉચ્ચારણ) કર્યું.
હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હદયમાં હર્ષિત થયા.(હનુમાનજીએ વિચાર્યું કે )
આની સાથે પરાણે પણ ઓળખાણ કરું,કેમકે સજ્જન દ્વારા કાર્યની હાની થતી નથી. (પણ લાભ જ થાય છે.)
બિપ્ર રુપ ધરિ બચન સુનાએ, સુનત બિભીષણ ઉઠિ તહઆએ.
કરિ પ્રનામ પૂછી કુસલાઈ, બિપ્ર કહહુ નિજ કથા બુઝાઈ.
બ્રાહ્મણ નું રૂપ ધરી હનુમાનજીએ તેમને વચન સંભળાવ્યાં (બોલાવ્યા).
તે સાંભળતા જ �
Vishal Joshi Balaji: Sunderkand in Gujarati :
અધ્યાય ૪
જૌ રઘુબીર અનુગ્રહ કીન્હા, તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા.
સુનહુ બિભીષન પ્રભુ કૈ રીતી, કરહિં સદા સેવક પર પ્રીતી.
જો શ્રી રઘુવીરે કૃપા કરી, તો આપે મને હઠ કરીને (પોતાના તરફ થી પણ) દર્શન દીધાં.( હનુમાનજીએ કહ્યું):હે ! વિભીષણ ! સાંભળો , પ્રભુની આ રીત છે કે , તે સેવક પર સદા પ્રેમ જ કરે છે.
કહહુ કવન મૈં પરમ કુલીના, કપિ ચંચલ સબહીં બિધિ હીના.
પ્રાત લેઇ જો નામ હમારા, તેહિ દિન તાહિ ન મિલૈ અહારા.
(તમે જેમ તામસી કુળ માં જન્મ્યા છો,તેમ) કહો હું કયો મોટો કુલીન છું ?(જાતિનો ) ચંચળ વાનર છું
અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાત:કાળમાં જે અમારું (વાનરો નું )નામ લે ,તેને તે દિવસે ભોજન પણ ન મળે.
*********
(દોહા)
અસ મૈં અધમ સખા સુનુ મોહૂ પર રઘુબીર.
કીન્હી કૃપા સુમિરિ ગુન ભરે બિલોચન નીર.(૭)
હે મિત્ર ! સંભાળો હું એવો અધમ છું ,તો પણ રઘુવીર રામચંદ્રજીએ મારા પર કૃપા કરી છે.
ભગવાન ના ગુણો નું સ્મરણ કરી હનુમાનજીના બંને નેત્રોમાં (પ્રેમાશ્રુનાં) આંસુ ભરાઈ આવ્યા.(૭)
*********
ચોપાઈ
જાનતહૂઅસ સ્વામિ બિસારી, ફિરહિં તે કાહે ન હોહિં દુખારી.
એહિ બિધિ કહત રામ ગુન ગ્રામા, પાવા અનિર્બાચ્ય બિશ્રામા.
જે જાણતા છતાંય એવા સ્વામી (રઘુનાથજી ) ને ભૂલી જઈ( વિષયો ની પાછળ ) ભટકતા ફરેછે,
તેઓ દુઃખી કેમ ન થાય ? એ પ્રકારે શ્રી રામ નાં ગુણ સમૂહોને કહેતાં તેમણે અવર્ણનીય શાંતિ પ્રાપ્ત કરી.
પુનિ સબ કથા બિભીષન કહી, જેહિ બિધિ જનકસુતા તહરહી.
તબ હનુમંત કહા સુનુ ભ્રાતા, દેખી ચહઉ જાનકી માતા.
પછી વિભીષણે શ્રી જાનકીજી જે પ્રકારે ત્યાં (લંકામાં) રહ્યાં હતાં,તે સર્વ કથા કહી.
ત્યારે હનુમાનજીએ કહ્યું : હે ભાઈ ! સાંભળો, હું જાનકી માતા ને જોવા ઈચ્છું .
જુગુતિ બિભીષન સકલ સુનાઈ, ચલેઉ પવનસુત બિદા કરાઈ.
કરિ સોઇ રૂપ ગયઉ પુનિ તહવા, બન અસોક સીતા રહ જહવા.
વિભીષણે માતા નાં દર્શન ની સર્વ યુક્તિઓ કહી સંભળાવી ,ત્યારે હનુમાનજી વિદાય લઇ ચાલ્યા .
પછી તે જ (પ્રથમ નું મચ્છર
Vishal Joshi Balaji: Sunderkand in Gujarati :
અધ્યાય ૫
સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા, કબહુકિ નલિની કરઇ બિકાસા.
અસ મન સમુઝુ કહતિ જાનકી, ખલ સુધિ નહિં રઘુબીર બાન કી.
સઠ સૂને હરિ આનેહિ મોહિ, અધમ નિલજ્જ લાજ નહિં તોહી.
હે દશમુખ રાવણ ! સાંભળ. આગિયાના પ્રકાશથી કદી શું કમલિની (કમળ) વિકાસ કરે છે?
સીતાજી ફરી કહેવા લાગ્યાં : તું (તારે પોતાને માટે પણ )મનમાં એમ સમજી લે
દુષ્ટ ! તને રઘુવીર ના બાણ ની ખબર નથી.
તું મને સુનામાં (કોઈ નહોતું ત્યારે ) હરી લાવ્યો છે. રે અધમ ! નિર્લજ્જ ! તને લાજ નથી !
*********
(દોહા)
આપુહિ સુનિ ખદ્યોત સમ રામહિ ભાનુ સમાન.
પરુષ બચન સુનિ કાઢ઼િ અસિ બોલા અતિ ખિસિઆન.(૯)
પોતાને આગિયા સમાન તથા શ્રી રામચંદ્રજીને સુર્ય સમાન સાંભળી તેમ જ
સીતાજીનાં કઠોર વચન સાંભળી રાવણ તલવાર કાઢી ઘણો ખીજાઈને બોલ્યો.(૯)
*********
ચોપાઈ
સીતા તૈં મમ કૃત અપમાના, કટિહઉતવ સિર કઠિન કૃપાના.
નાહિં ત સપદિ માનુ મમ બાની, સુમુખિ હોતિ ન ત જીવન હાની.
હે સીતા ! તેં મારું અપમાન કર્યું છે. હું તારા મસ્તકને આ કઠોર તલવારથી કાપી નાખીશ.
હજી પણ જલદી મારી વાત માની લે,નહિ તો હે સુમુખી ! જીવનની હાની થશે.
સ્યામ સરોજ દામ સમ સુંદર, પ્રભુ ભુજ કરિ કર સમ દસકંધર.
સો ભુજ કંઠ કિ તવ અસિ ઘોરા, સુનુ સઠ અસ પ્રવાન પન મોરા.
સીતાજીએ કહ્યું : હે દશગ્રીવ રાવણ ! પ્રભુની ભુજા કે શ્યામ કમળ ની માળા સમાન અને
સુંદર હાથી ની સૂંઢ સમાન પૃષ્ટ તથા વિશાળ છે,તે (ભુજા) અથવા તારી ભયાનક તલવાર મારા કંઠમાં પડશે. હે શઠ ! સાંભળ, આ મારી પ્રતિજ્ઞા છે.
ચંદ્રહાસ હરુ મમ પરિતાપં, રઘુપતિ બિરહ અનલ સંજાતં.
સીતલ નિસિત બહસિ બર ધારા, કહ સીતા હરુ મમ દુખ ભારા.
(રાવણ ની તલવારને ) સીતાજીએ કહ્યું
હે ચન્દ્ર હાસ (તલવાર) શ્રી રઘુનાથજીના વિરહરૂપ અગ્નિ થી ઉપજેલા મારા (અતિ ભારે ) પરિતાપ તું હરી લે. હે તલવાર તું શીતળ, તીવ્ર તથા શ્રેષ્ઠ ધારા ધરે છે.(અર્થાત તારી ધાર ઠંડી અને તેજ છે)
તું મારા દુઃખ ના ભાર ને હરી લે.
સુનત બચન પુનિ મારન ધાવા, મયતનયાકહિ �