યુવા નો માં વધતું જતું પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળુ અનુકરણ
માત્ર ૨૪ વર્ષ ની ઉમરે આઝાદી ના હવન માં પોતાની જાતને હોમી દેનારા શહીદ ભગતસિંહ ની આ પવિત્ર ભૂમિ ઉપર યુવા નો દિશા વિહીન થયા હોય તેવો ભાસ ક્યારેક મન માં થાય છે. પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળુ અનુકરણ ચારે તરફ ભરપુર જોવા મળે છે જેમાં આજની યુવા પેઢી પણ બાકાત રહી નથી. વધતા વુધ્ધા શ્રમો, ઘરડાં ઘર જાણે જોર જોર થી પોકારી ને કેહતા હોય છે કે માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ ની ભાવના હવે ભૂલાતી જાય છે. આજ ના સમય માં લોકો ની અંગ્રેજી ભાસા પ્રત્યે ની ઘેલછા અને આપની માતૃ ભાસા પ્રત્યે ની ઉપેક્ષા સાહજિક રીતેજ દેખાઈ આવે છે. થોડુંક કડકડાટ અંગ્રેજી બોલતા લોકો પ્રત્યે આપળે તુરંતજ આકર્ષાઈ જઈએ છીએ.
મારી દરેક યુવા ભાઈ બેહનો ને અપીલ છે કે વિશ્વની અતિ પ્રાચીન અને શ્રેષ્ઠ એવી આપણી હિંદુ સંસ્કૃતિ ને જાણવી જોઈએ અને જાળવવી જોઈએ. ચીન, રશિયા, જાપાન, જર્મની, જેવાઘણા દેશો આજે પણ પોતાની માતૃ ભાસા અને સંસ્કૃતિ નેજ પ્રાધાન્ય આપે છે અને છતાં પણ વિશ્વ માં પોતાના નામનો ડંકો વગાડે છે.
દેશની પ્રગતી નો આધાર પુવા પેઢી પર નિર્ભર કરે છે. મારી દરેક યુવાને નમ્ર અરજ છે કે વિશ્વ માં ભારત માતા ની જય જય કર બોલાવવા અને આપણી સંસ્કૃતિ ને ગૌરવ વંતિ બનાવવા ની દિશા માં આપણે આગળ વધવું જોઈએ.
અહી મારો પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યે કોઈ વિરોધ નથી પણ તેનું જે આંધળુ અનુકરણ થાય છે તે ના પ્રત્યે વિરોધ છે. ઘણા એવા સારા પાસા છે જે આપણે પશ્ચિમી સંસ્કૃતિ માંથી શીખવા જોઈએ અને આમ પણ આંધળું અનુકરણ હંમેશા નુકશાન દાયક જ હોય છે.
Sunday, 15 November 2015
યુવા નો માં વધતું જતું પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળુ અનુકરણ भार्गव जोषी
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment